Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ. ચીખલી ગણદેવી નગર બીલીમોરા સહિત તાલુકામાં વસતા મહારાષ્ટ્રીઅન સમાજે આજે ચૈત્ર માસના પ્રથમ દિવસે મંગળવારે ગૂડીપડવો, નવાવર્ષ ની ઉજવણી કરી હતી. ગુડીપડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો ઘરના મુખ્ય દ્વાર સામે એક વાંસની લાકડીમાં ઉલટો કળશ મૂકી, ધજા ચઢાવી તેની પૂજા કરે છે. તેના પર પતાસા, લીમડાનાં કુમળાં પાન, આંબાની ડાળખી અને લાલ ફૂલોનો હાર બાંધે છે. તેના પર ચાંદી અથવા તાંબાનો કળશ શણગારીને ધ્વજ ઊભો કરવામાં આવે છે. નવવર્ષને દિવસે કડવા લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે ગુડી પડવા તહેવાર એ હિંદુઓ અને મરાઠાઓના આશીર્વાદિત પ્રસંગોમાંનો એક છે. સંવસર પડવો તરીકે પણ ઓળખાય છે, આ તહેવાર પરંપરાગત નવા વર્ષ અને કૃષિ રવિ સિઝનના અંતને ચિહ્નિત કરે છે. ગુડી પડવો એ છે જ્યારે ભગવાન બ્રહ્માએ દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષોની વિભાવનાઓ સાથે બ્રહ્માંડની રચના કરી હતી. ગુડી પડવા તહેવાર, હિન્દુ પૌરાણિક કથાઓમાં, તે દિવસે પણ ઉજવવામાં આવે છે જ્યારે ભગવાન રામને 14 વર્ષ પછી અયોધ્યાથી પાછા ફર્યા અને રાજા રાવણ પર તેમની જીત પછી તેમનો તાજ પ્રાપ્ત થયો હતો.
Navsari news: નવસારી લોકસભાની ચૂંટણીને પગલે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશને દ્વારા સ્કીમ બહાર પડાઈ. નવસારી લોકસભાની ચૂંટણીને લઈ નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરનાર મતદારો આંગળી પર મતદાનનું નિશાન બતાવતા તેઓને 7 થી 10 ટકા ડિસ્કાઉન્ટ આપશે. આગામી 7મી મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સરકાર પર ચૂંટણીના દિવસે તમામ નોકરિયાતવર્ગને રજા જાહેર કરવામાં આવી છે. જેથી તમામ મતદારો મતદાન કરી શકે. તો બીજી તરફ જિલ્લા તંત્ર પણ મતદાન જાગૃતિ કાર્યક્રમો ચલાવી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી સંદર્ભે નવસારી મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેમાં આગામી 7મી મે ના રોજ મંગળવારે મેટલ મર્ચન્ટ એન્ડ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના ડેક સભ્યો અને સ્ટાફ મતદાન કરશે. સ્ટાફને તે દિવસે મતદાન કરવા માટે દુકાનમાંથી રજા અપાશે અને મતદાન કરી સ્ટાફ પાછા દુકાને કામ પર આવશે. તેમજ આગામી 7મી મે અને 8મી મે ના રોજ જે કોઈ ગ્રાહક જેણે મતદાન
Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા પારિતોષિક પ્રમાણ પત્ર,મોરારી બાપુ ના હસ્તે ચિત્રકૂટ પ્રમાણ પત્ર તેમજ અન્ય અનેક સંસ્થાઓ તેમનુ બહુમાન કરી ચૂક્
Comments
Post a Comment